Thursday, 12 December 2013

હું અને મારું કામ


                      

                                                         હું અને મારું કામ
બન્ને માટે રોજ થોડો થોડો ઘસાઉ છું,


તમે અને તમારી વાત
બન્ને ને રોજ ખુબ ખુબ યાદ્દ કરું છું,

આશા અને નિરાશા
બન્ને વચ્ચે રોજ જોલા ખાઉં છું,

તારું અને મારું
બન્ને વચ્ચે મારો અહંકાર નડે છે,

દિવસ અને રાત
બન્ને મારું જીવન ચલાવે છે ,

આજે અને ગઈ કાલે
બન્ને વચ્ચે કઈ નવું સ્થાયી થાય છે ,

પ્રેમ અને તિરસ્કાર
બન્ને મારા જીવનના અટૂલ રસ છે,

રચયતા - જયેશ સોની

Sunday, 8 December 2013

મરક મરક મરચું થાય

ગોંડલ ગામ ને સમર્પિત 

"મરક મરક મરચું થાય "





મરક મરક મરચું થાય 
મસાલામાં સિરમોર જણાય  

રંગે લીલું અને લાલ થાય 
થાળીથી લઇ બર્ગર માં ખવાય 

સ્વાદે તીખું અને મોરું થાય 
ઝુપડીથી લઇ મહેલમાં જાય 

આકારે ઘોલર ને સિંદરી  થાય
મીઠા નો તે સગો ભાઈ ગણાય 

બોલ વચન માં ઉપયોગ થાય 
મન કે દિલ એના થી ઘવાય 

મરચાની ધુવાણી થાય 
આંખા-નાકમાં થી પાણી જાય

મરચું સવ ને વાલી થાય
 નાના-મોટેરા સૌ પ્રેમથી ખાય

લીંબુ મરચું સાથે થાય 
ખરાબ નજર ને ધૂળ્યું પાય 
  
રચયતા :  સીએ. જયેશ સોની , ઈન્દોર
મો 9425062617


તા 08-12-2013

Friday, 6 December 2013

ગુજરાતી સાહિત્ય પરિષદ,ઈન્દોર સાહિત્ય સભા (ગોષ્ઠી)



ગુજરાતી સાહિત્ય પરિષદ,ઈન્દોર  


પ્રિય સાથીયો, 

સાહિત્ય પરિષદ ના સમસ્ત મિત્રો ને દિવાળી અને નુતનવર્ષાભિનંદન। .......


સાહિત્ય સભા (ગોષ્ઠી) માં આપ સર્વે ની પ્રતીભાગીતાથી ખુબજ આનંદ થાય છે, હાલ પરિષદની સ્થાપના બાદ આપણે કુલ આઠ  સભા કરી છે.  વિષય વિશેષ માં આપણે 'ગાંધી અને સાહિત્ય' ની સભા ખુબજ યાદગાર બની.

એજ પરંપરામાં  વિષયનો ચુનાવ કરીને તેના પર તય્યારી કરી સભા કરવાનો પ્રસ્તાવ હર્ષ ધ્વની થી પાસ થયો હતો. 

તા. 07-12-2013 શનિવારે 
સ્થાન: હિન્દી સાહિત્ય સમિતિ હાલ
સમય:  સાંજે  6.30 વગ્યા થી 

ના રોજ સહિત્ય સભા નું આયોજન કરવા માં આવે છે.

આપણી સાહિત્ય રચના ગદ્ય અથવા પદ્ય કોઈ પણ રસ સાથે સઆનંદ પ્રસ્તુત કરશોજી,

આપનાથી વિશેષ અનુરોધ છે કે સપત્નીક, વાહલા મિત્રો સાથે સભામાં સમયસર શિરકત કરશો.

                                  સ્વાગત છે.

                                    આપના,
ડૉ .દિવાકરભાઈ શાહ                              જીતેન્દ્રભાઈ દવે 
         પ્રમુખ                                               ઉપપ્રમુખ 
                          સીએ. જયેશભાઈ સોની
                                 માનદ મંત્રી  
ઉમેશ ભાઈ પરીખ                                    સંજય ભાઈ દેસાઈ          ભીમજી ભાઈ પટેલ                                   પ્રફુલ ભાઈ તુરખીયા 
મહેશ ભાઈ શર્મા                                       વનરાજ સાલવી
કન્હૈયા લાલ ઠક્કર                                    નિમેશ કોઠારી  

                             શ્રીમતી સંધ્યા બેન દવે  






ગુજરાતી સાહિત્ય પરિષદ ઈન્દોર  
   5-6,'અવની એજેન્સી',દવા બાઝાર, આર એન ટી  માર્ગ ઈન્દોર 
___________________________________________________________________________________

ડૉ .દિવાકરભાઈ શાહ             
         પ્રમુખ     
જીતેન્દ્રભાઈ દવે 
       ઉપપ્રમુખ 
સીએ. જયેશભાઈ સોની
      માનદ મંત્રી  
   વનરાજ સાલવી
      કોષાધ્યક્ષ  

કાર્યકર સભ્ય :
ઉમેશભાઈ પરીખ                                                             
સંજયભાઈ દેસાઈ                                
મહેશભાઈ શર્મા
ભીમજીભાઈ પટેલ
પ્રફુલભાઈ તુરખીયા                                        
નિમેશ કોઠારી
કન્હૈયાલાલ ઠક્કર                                     
શ્રીમતી સંધ્યા દવે  








Thursday, 21 November 2013

અટલ વિશ્વાસ છે બીજેપી કરશે કોંગ્રેસ પર અંતિમ વાર



// અટલ વિશ્વાસ છે બીજેપી કરશે કોંગ્રેસ પર અંતિમ વાર \\



સ્વાગત છે આપનું ઈન્દોર આંગણે ભારતભાઈ પરમાર 
અટલ વિશ્વાસ છે બીજેપી કરશે કોંગ્રેસ પર અંતિમ વાર 


કેન્દ્રનાં નહિ ચાલે હવે જનતા-જનાર્દન પર અત્યાચાર 
ભારતીય જન કહે છે બીજેપીથી અમારો વિકાસ સંસાર 

બીજેપીની જીત નિશ્ચિત છે કોંગ્રેસ જુવે છે પોતાની હાર 
કારણ કે મોદીજી એ ખોલી છે ઓજસ્વી વાણી ની કટાર 


હવે નહિ થઇ શકે કોલસા, 2જી કે ચારા ના ખોટા કરાર 
મોકલશે નરેન્દ્ર ભાઈ કેન્દ્રના અપરાધી ને જેલનાં દ્વાર 

એ નવ-યુગનો ઉદય થશે ને ભ્રષ્ટાચારનો થશે સંહાર   
અંતિમ આશા જન-જનની વોટ શક્તિ કરશે બેડોપાર



રચના : સીએ , જયેશ ભાઈ સોની 

ઈન્દોર
મો. 09425062617

Saturday, 16 November 2013

સાદ સુખી થવા ના નિયમો શીખો

સાદ સુખી થવા ના નિયમો શીખો

પ્રથમ સોપાન : સદા પત્નીનાં  વખાણ કરો ......

દા.ત.

મારી પત્ની તમારી પત્ની જેવી દેખાવમાં નથી
કેમ કે બે વ્યક્તિ એક જેવા ન હોય અને તમે મેકપ નો સમાન નથી લેતા

મારી પત્ની તમારી પત્ની જેવી રસોઈ નથી બનાવતી
કારણ કે મેં  તેને રસોઈ નથી શીખવાડી

મારી પત્ની તમારી પત્ની થી વધુ વજનદાર છે
કારણ કે તમે તમારી પત્ની ને સરખું જમવાનું નથી આપતા

મારી પત્ની તમારી પત્ની થી ઓછો  ગુસ્સો કરે છે
કારણ કે તમે વધુ ભૂલો કરો છો

મારી પત્ની તમારી પત્ની થી વધુ ઘર સાફ રાખે છે
કારણ કે તમારું ધ્યાન ઘર કરતા બાજુ વાળી પર વધુ હોય છે

આવતા અંક માં આગળ ......સાદ સુખી થવા ના નિયમો શીખો ....

આપનો .......
સદા સદા ....જયેશ સોની 'જઈશ '

   

મહામંડળનાં ચુનાવ વિષે : ચુનાવ એ સમાજ સેવા નું માપદંડ નથી

જાગૃતિ માં પ્રકાશનાર્થ ,

મહામંડળનાં  પ્રમુખશ્રી ને સાધુવાદ સાથે સાદર,

"ચુનાવ એ સમાજ સેવા નું માપદંડ નથી"
  • જીત અને હાર એ એકજ સિક્કાનાં બે પહેલુ છે, ફક્ત જોવા માં અંતર છે  
  • જે જીતે છે એ સમાજ (જન)ની સેવામાં છે,
  • જે હારે છે એ પણ સમાજની સેવા એવા વ્યક્તિ થી વધુ  કરે છે જેને  ચુનાવમાં પણ ભાગ નથી લીધો.
  • ચુનાવ માં હારેલા વ્યક્તિના અનુભવ નો લાભ સમાજે લેવોજ જોઈએ અને ચુનાવ એ સમાજ સેવાનું માપદંડ નથી, ફક્ત મતભેદ હોય તેને મનભેદમાં ન ગણાવો જોઈએ.
  • દરેક વ્યક્તિ, જે સમાજ, વ્યક્તિ, નિ:સહાય, અશક્ત , બીમાર, જરૂરતમંદની નિસ્વાર્થ સેવામાં છે તે હમેશા વિજેતા છે.
  • સમાજે દરેક વ્યક્તિ જે જીતે અથવા હારે તેને સમ્માન આપી ને , સેવા - કલ્યાણ યોજના કાર્ય માં સાથે લેવા જોઈએ.
  • સેવાનું અભિમાન રાખવાની ઇચ્છાં ફક્ત મનમાં રાખો જીભ પર નહિ.
  • " સર્વ કાર્ય પ્રભુને અર્પિત કરતા જાઓ સદાય સમાજમાં સમ્માન મળશે"
     ● વડિલોએ યુવાઓનો સાથ લઇ ને 
          સમાજહિતનાં રચનાત્મક પ્રોજેક્ટ                તૈયાર કરવા જોઈએ. 

એજ શુભકામના  સાથે .........મહામંડળ ના સમસ્ત પદાધિકારી અને મહાસમિતિ ના સભ્ય ને જયશ્રીકૃષ્ણ ,જય સ્વામિનારાયણ... 

સીએ. જયેશભાઈ પોપટલાલ સેજપરા 

ઈન્દોર
મો. 9425062617








   

Tuesday, 5 November 2013

दीपावली व नव-वर्ष कि बेला पर

दीपावली व  नव-वर्ष कि बेला पर 
जग-मग जग-मग ज्योत जली, उजाला है चहुँ ओर
दीपपर्व  पर चारो ओर,मनवा मन कि आँखे खोल। 
घर आंगन को साफ किया, इंतज़ार हर दिशा कि ओर
समय क्या हे ,लक्ष्मीजी को आना है,अंधियारा को ओढ़
मीठे मीठे पकवान बने है, ले प्यार का स्वाद निचोड़
सरस्वती जिव्हा पर है,  प्यारे दिल से दिल को जोड़। 
फटाके कि धूम मची है, शोर नहीं ये ,दी आवाज डोल 
जगह जगह है ये धमाल, नये साल के स्वागत बोल। 
जुककर आशीर्वाद ले लो, सब बड़े है  हमारे अनमोल
जीवन में हर साल हमारा,यारो जावे तरक्की कि ओर। 

रचयता : सीए. जयेश सोनी, इंदौर 
दि। ०६ -११-२०१३       



Tuesday, 1 October 2013

મિત્ર પાસે પૈસા ઉધાર માગો એ પહેલાં નક્કી કરી લો કે
એ બન્નેમાંથી તમારે કોની વધારે જરૂર છે.

Saturday, 28 September 2013

"ગાંધી-વ્યથા-ગરબો "



"ગાંધી-વ્યથા-ગરબો "

એ...આજે હું સાભરું રે.. ગાંધી તારા દેશ માં

કાલનું સંભારણું થયું રે , દેશ પરદેશ માં
        આજે હું સાભરું રે....ગાંધી તારા દેશ માં...બાપુ મારા દેશ માં...2 

હું તો રે કહું છે કે આ દેશ નથી તારો 
હું તો રે કહું છું કે અહી ભૂલોરે તું પડ્યો 
....ગાંધી તારા દેશ માં.........બાપુ મારા દેશ માં...2
આજે હું સાભરું રે.. ..ગાંધી તારા દેશ માં, 

સત્ય અહિંસાની રે કોઈને નથી પડી
ભ્રષ્ટ ભારતની છવી ભેટ મને મળી 
....ગાંધી તારા દેશ માં.........બાપુ મારા દેશ માં...2
         આજે હું સાભરું રે.. ..ગાંધી તારા દેશ માં, 
            
સત્યાગ્રહની તો રે,  ફિલ્મ અમે જોઈ ,
તારા પુત્રની તો , ફજેતી અમે જોઈ 
....ગાંધી તારા દેશ માં.........બાપુ મારા દેશ માં...2
        આજે હું સાભરું રે.. ..ગાંધી તારા દેશ માં, 

મુન્નાના બાપુ બન્ને ,ગાલ ધરી દેજો
બંદુક કોઈ તાણે તો માલ ધરી દેજો 
....ગાંધી તારા દેશ માં.........બાપુ મારા દેશ માં...2

         આજે હું સાભરું રે....ગાંધી તારા દેશ માં, 

તારા તો ફોટાના , સંગ્રહમાં સૌ મીઠા 
ધોળાકાળા કામ માં ,હસતા તમને દીઠા 
....ગાંધી તારા દેશ માં.........બાપુ મારા દેશ માં...2
         આજે હું સાભરું રે....ગાંધી તારા દેશ માં, 

બાપુ તારા નામની લાજ આજે ખોઈ 
આશારામના આશ્રમ અને જેલ રાતે રોઈ 
....ગાંધી તારા દેશ માં.........બાપુ મારા દેશ માં...2
         આજે હું સાભરું રે....ગાંધી તારા દેશ માં, 


રચયતા : સીએ જયેશ સોની , ઈન્દોર મો. 9425062617               તા : 28-09-2013
  



Friday, 27 September 2013

Questions about Mahatma Gandhi

"ગાંધી જયંતી પર વિશેષ " 

1. ગાંધી ના સત્ય ની શું પરિભાષા છે। તેઓ સત્ય માટે ક્યારે અને કેવી રીતે પ્રેરિત થયા હતા। 

2. ગાંધી ના અહિંસા ની શું વ્યાખ્યા છે, અહિંસા થી આજાદી કેવી રીતે મેળવી ?

3. ગાંધી ના ક્યાં વિચારો થી તમે પ્રેરીત થયા છો? શું કામ?

4. આજાદી ની પરિકલ્પના ગાંધી માટે શું છે?

5. તમને ગાંધી કેમ પસંદ છે?

6. ક્યારે મહાત્મા તરીકે કોઈ વ્યક્તિ નામાંકિત/ખ્યાત  થઇ શકે છે ?

7. ગાંધી બાપુ થી આજ ના સંત અને બાપુ ને તમે કેવી રીતે નોખા તારવી  છો?

8. ત્યાગ અને બલિદાન માટે કેવા વિચારો કે પ્રતિબદ્ધતા ગાંધી તમે મેળવી શકો છો?

9. ગાંધી ની કોઈ એવી ઘટના કે દ્રશ્ય જે તમને તેમનું ગાંડપણ થી સરખાવી શકો છો.

10.ગાંધી માટે સવચ્છતા  શુ કામ અનિવાર્ય હતી.?

11. દેશ ના વર્તમાન રાજનૈતિક પરિદ્રશ્ય માં ગાંધી ની વિચારધારા કેટલા હદ સુધી સાર્થક છે?

12. તમારા દેશ માં ગાંધી ના થયા હોત તો દેશ ની આજાદી માટે ની ચળવળ માં શું ઘટિત થઇ શકત ?

13. ગાંધી ની મનોસ્થિતિ કે ગાંધી કઈ રીતે કોઈ સમસ્યા ઉપર વિચાર કરતા જે થી દેશ ની તે સમય ની
     અગણિત જટિલ સમસ્યા ને તેમને ઉકેલ લાવી આપ્યો।

14. ગાંધી નું સ્વાસ્થ્ય પ્રત્યે નું સભાનતા જેમાં પાણી , ખોરાક, ઉપવાસ , માટી, બ્રહ્મચર્ય  વિગેરે માટે આપનાં વિચારો.

 આપના જવાબ મને અવશ્ય પોસ્ટ અથવા કમેન્ટ કરશોજી



સીએ। જયેશ સોની  ઈન્દોર 
9425062617


Monday, 16 September 2013

अथक- प्रथक से भरी है ये जिंदगी


दम-ख़म से जियो जिंदगी 
झुझारू  बन जियो जिंदगी 

दूर की कोडी नहीं है जिंदगी 
करता हूँ हर बार यही बंदगी

अथक- प्रथक से भरी है जिंदगी
सार्थक सोच का खेल है जिंदगी

जुझते रहना है तेरी चाहत के लिए
मिले न मिले खड़ा हूँ इबादत लिए 


दिल और गम का रिश्ता देखा
हर बार आंसू को निकाल फेंका


भरा गला आँखों तक, धूंधला गई ज्योति 
है मेरी मशक्कत, आंसू ढलकर बने मोती  

हर बार रुलाती है, हाँ है हमें मुहोब्बत
क्योकि जानता हूँ,ये तेरी है फितरत 

स्वार्थ  से क्यों हर बार सहलाऊ
मेरी ही है तो, क्यों तुजे भुलाऊ  

हाँ नहीं कहूँगा तेरी है तू ही संभाल
दिया है सबकुछ, बढ़िया है हालचाल

रचयता : सीए।  जयेश सोनी
दिनांक : १६-९-२०१३ 

Saturday, 7 September 2013

કર્મ ની વ્યાખ્યા ભય અને આનંદ સાથે



કર્મ ની વ્યાખ્યા ભય અને આનંદ સાથે 

ગીતાસારમાં ઈશ્વરે કર્મની વ્યાખ્યા કરી અને મનુષ્યને કર્મ  પ્રધાન વિશ્વના દર્શન કરાવ્યા. મનુષ્યના જીવન માં કર્મ એજ સાધન છે, સાધ્ય છે, સાર છે. હવે પ્રશ્ન એ છે કે કર્મ કરવાની પાછળ પ્રેરક તત્વ શું છે? મનુષ્યએ કેવા કર્મ કરવા જોઈએ ? મનુષ્ય ક્યારે કર્મ કરવા પ્રેરિત થઇ શકે છે? વિગેરે ..જેમ ઈન્જીન વગરના ડબ્બા સ્ટેશન પર ઉભા રહી જાય છે  તેમ પ્રેરણા વગરનો મનુષ્ય કર્મ વિહીન થઈને જીવન નશ્વર કરે છે. કર્મના ઊંડાણમાં જઈએ તો કર્મ માટે પ્રેરકતત્વ શું છે?..... શા માટે કર્મ કરવો પડે છે?..... મનુષ્યનો સ્વભાવ જે ઈશ્વરે મન અને બુદ્ધિના સમાન્જસ્યથી સંસ્કારરૂપી આવરણથી સજ્જ કરીને ભેટ કર્યા છે એ સ્વભાવને વશ થઇ મનુષ્ય કર્મ કરવાનું પ્રારંભ કરે છે. સમગ્ર શરીર પર મન અને બુદ્ધિનું સામ્રાજ્ય છે અને એજ મન એટલે પિતા અને બુદ્ધિ એટલે માતાનો પુત્ર એટલે સ્વભાવ મનુષ્યના કર્મને ગતિ પ્રદાન કરે છે. જયારે મનુષ્ય કર્મમાં લીન થવા માંડે છે ત્યારે એના કર્મમાં બે તત્વો સ્વભાવ થી આવે છે, જે મુખ્યતઃ છે ભય અને આનંદ.

મનુષ્યના કર્મ ભય અને આનંદથી પ્રેરિત અને પ્રભાવિત થાય છે. ભયના  અનંત પ્રકાર હોય છે જેમાં મનુષ્ય કર્મનું આચરણ કરે છે સ્વયંથી ભય, પરિવારથી ભય, બીજા વ્યક્તિથી ભય, સમાજથી ભય, પ્રાણી થી ભય, પ્રકૃતિથી ભય, દેશથી ભય, અન્ય દેશથી ભય વિગેરે મનુષ્યના કર્મની છણાવટ કરો તો કર્મમાં અસુરક્ષાના અસંખ્ય કારણો મળશે. અસુરક્ષા વગર મનુષ્ય કર્મ કરવા પ્રેરિત નથી થતો. માટે કર્મ કરવા ભય નો ઉપયોગ થાય છે. અને  આવા ભય પ્રધાન કર્મથી મનુષ્યની  ગતિ ધીમી અને ચિંતાઓથી ઘેરાયેલી બને છે. પ્રશ્ન થાય છે કે શું કર્મ માટે ભય તત્વ આવશ્યક છે?
        
હવે બીજા પ્રેરક તત્વ તરફ જોઈએ, આનંદ એ મનુષ્યનો સ્વભાવિક ગુણ છે અને આનંદ માટે કરેલા અને આનંદથી પ્રેરિત થઇને કરેલા કર્મ એટલે કર્મની પાછળનું કારણ આનંદ જ હોવું જોઈએ જેમકે ગીત ગાવું, સંગીત શીખવું, પ્રભુ ભક્તિ કરવી, કોઈ વ્યક્તિની મદદ કરવી, માતા પિતાની સેવા કરવી, બાળકને રમાડવું, પત્ની અને બાળકો સાથે હરવું ફરવું , દેશ ભક્તિ , વ્યાપાર રોજગાર કાર્ય વિગેરે જેની પાછળ નું અંતિમ કારણ આનંદ જ હોવું જોઈએ.

આનંદથી પ્રેરિત થઇને કરેલા કાર્ય પોતાને એટલે 'સ્વ' ને અર્પણ થાય છે અને 'સ્વ' માટે જ હોય છે. 'સ્વ' અટલે 'આત્મા'. આનંદથી કરેલા કર્મમાં ભય વ્યપ્ત  નથી હોતો અને ભય પ્રધાન કર્મમાં આનંદ નથી હોતો. ભય પ્રેરક કર્મમાં 'સ્વ' હોતો નથી અને કર્મ અન્ય વ્યક્તિને ભેટ જતો રહે છે, જયારે આનંદથી કરેલા અને આનંદ માટે કરેલા કર્મ સ્વયંને  અર્પણ થાય છે અને આત્મા ફક્ત તેજ અંગીકાર કરે છે. ભયથી કરેલા કર્મ શરીરને રોગી અને મનને દુઃખી બનાવશે અને આનંદથી કરેલા કર્મ મનુષ્યને નિર્ભીક, ઉત્સાહી અને નીરોગી રાખશે।

મનુષ્ય જયારે  પોતાના કર્મમાં ભય અને આનંદના અંતિમ તત્વને જોવાની આદત પાડશે ત્યારે કર્મ નું  પ્રથકરણ કરી શકશે આવા પ્રથકરણ કરેલા  કર્મ થકીજ પરિવાર, સમાજ અને દેશ માટેનાં  સતકાર્ય પૂર્ણ મનોયોગથી થશે અને ઈશ્વરની વધુ નજીક જઈ શકાશે...ઓઉમ શાંતિ.....


પ્રભુ પ્રેરણાથી વિચાર : સીએ.  જયેશ સોની 
મો.9425062617

Saturday, 10 August 2013

'ક' મારો કક્કા નો


'ક' મારો કક્કા નો

કિસ્મત થી 'ક' કક્કા નો કાલો  છે,
કરમ માં કોલસા હોય તો, કોહિનૂર ક્યાંથી કળે. 

કવિ પર કવિતા નો કરજ છે,
કૌવત ન હોય તો, કરમ પર કાતર ફરે.

કંદોરો કમર નો કામણ છે,
કાળો કેશવના હોયતો, કોમળ કમળ ક્યાંથી ખીલે.

કસુંબી શૂરાઓ નો કલર છે,
કાતર જીભ હોય તો, કુતરું કારણ વગર કરડે.

કુરુપતા જીવન નું કઠણ છે,
કારણ કરજ હોય તો, કજીયો કરવત બને.    



યતા : સીએ. જયેશ સોની, ઈન્દોર
mobile 94250 62617