Wednesday, 19 February 2014



ગુજરાતી સાહિત્ય પરિષદ ઈન્દોર



સમસ્ત ગુજરાતીભાષી ભાઈઓ અને બહેનો, 



"માતૃ ભાષા દિવસ ની પૂર્વ સંધ્યા પર આપણી ગુજરાતી માતૃ ભાષા ને યાદ કરતા 

તા 20-02-2014 ના રોજ સાહિત્ય સભા નું આયોજન કરવામાં આવેછે 
સ્થાન: હિન્દી સાહિત્ય સમિતિ આર.  એન. ટી.  માર્ગ ઈન્દોર
સમય : સાંજે 7.00 વાગ્યા થી...


ઇષ્ટ મિત્રો સાથે પધારશો....... 



નિવેદક :



ડૉ દિવાકર શાહ                 જીતેન્દ્ર ભાઈ દવે 

સીએ. જયેશભાઈ સોની      ઉમેશભાઈ પારેખ
તથા સમસ્ત સદસ્યગણ 



'વિશ્વ માતૃભાષા દિવસ ની પૂર્વ સંધ્યા પર આપણી ગુજરાતી માતૃ ભાષા ને યાદ કરતા' પર સભા : 


તા 20-02-2014 ના રોજ સાહિત્ય સભા નું આયોજન  
સ્થાન: હિન્દી સાહિત્ય સમિતિ આર.  એન. ટી.  માર્ગ ઈન્દોર

સમય : સાંજે 7.00 વાગ્યા થી...

આજની સાહિત્ય ગોષ્ઠી માં નિમ્ન સભ્ય ઉપસ્થિત રહ્યા :

ડો દિવાકર શાહ , સીએ જયેશ સોની, પ્રો.ઉમેશ પારેખ, રમણીક    
ભાઈ સોની , શ્રીમતી  સંધ્યા બેન દવે , પ્રફુલ ભાઈ તુરખીયા, અરવિંદ ઓજા  વિગેરે 

વિશ્વા માતૃભાષા દિવસના ઉપલક્ષે સભા નું સંચાલન કરતા સંધ્યાબેન  દવે દ્વારા પોતાના મધુર કંઠ થી ગુજરાતી ગીત 'પાંદડું લીલું ને રંગ રાતો ' ની સુંદર મજાની જમાવટ કરી , રમણીક ભાઈ સોની દ્વારા 'શિવાજી નું હાલરડું' માટે સ્વર આપ્યો, પ્રફુલ ભાઈ તુરખીયા દ્વારા ગુજરાત સરકાર દ્વારા હાલ માં વદોદરા શહર માં    બસ સ્ટેન્ડનું  અધતન નવ નિર્માણ  થયું તેની વિગત જણાવવામાં આવી તેમજ શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત માં થયેલ વિકાસ ની જાણકારી આપી , તેમજ ઉમેશ ભાઈ પારીખ દ્વારા માતૃભાષા અને પરભાષા માં અંતર નું વિવેચન કરવામાં આવ્યું અને 'અંધાડીમાં નો કાગળ' નામક માર્મિક કાવ્ય પાઠ કરવામાં આવ્યો , જયેશ ભાઈ સોની દ્વારા નવ શ્રી ગુજરાતી સમાજ ઈન્દોરના નવ-નિર્વાચિત અધ્યક્ષ ઉપર સુંદર કવિતા રચીને પાઠ કરવામાં આવ્યો, તેમજ તેમની કાવ્ય રચનાની વિશિષ્ટ શૈલીથી 'મરચા' ઉપર 'મરક મારક મરચું થાય, મસાલામાં સિરમોર જણાય'  કવિતા રચી ને સભ્યો ને સંભળાવવામાં આવી. ડો દીવાકર શાહ દ્વારા માતૃ ભાષા ઉપર એક નાનકડી વાર્તા જેમાં કોઈ વ્યક્તિ ગમે એટલી ભાષા જાણે પણ સંકટ સમયે ફક્ત માતૃભાષા જ બોલે અને એજ એની સાચી ઓળખ હોય છે, સભા ના અંતમાં સચિવ જયેશ સોની દ્વારા દરેક પ્રસ્તુતિ નું વિવેચન કરી ને અભાર માનવામાં આવ્યો
અહેવાલ :

 સીએ   જયેશભાઈ સોની         
 માનદ મંત્રી સાહિત્ય પરિષદ 



ગુજરાતી સાહિત્ય પરિષદ ઈન્દોર
113, શ્રી વર્ધન, 4, રવીન્દ્ર નાથ ટેગોર માર્ગ, ઈન્દોર (મ.પ્ર )
મો .94250 62617
_________________________________________________________________________________

પરમ આદરણીય શ્રી રઘુવીરભાઈ ચૌધરી,
 raghuveer choudhary માટે છબી પરિણામ

વડીલશ્રી,

               આપશ્રી ને સાહિત્યનો સર્વોચ્ચ પુરુસ્કાર 'જ્ઞાન પીઠ પુરુસ્કાર' થી નવાજવામાં આવ્યા છે એ જાણી ખુબજ પ્રસન્નતા થઇ. આ પ્રસંગે ગુજરાતી સાહિત્યના ગૌરવને નવી ઉંચાઈ પ્રાપ્ત થઇ છે અને આપના આ વિશાળ સમ્માન સાથે ગુજરાતી સાહિત્યથી મુલાકાત રાખતા  તમામ વ્યક્તિ વિશેષ પણ સમ્માનિત થયા છે.  

              આપને વધાઈ..... ખુબ-ખુબ વધાઈ.
             અમે હર્ષ ની લાગણી અનુભવીએ છીએ.       

આપના શુભેચ્છુક,
વતી, ગુજરાતી સાહિત્ય પરિષદ ઈન્દોર 



પ્રફુલ તુરખીયા               સીએ. જયેશ સોની                 ડૉ . દિવાકર શાહ 
પ્રમુખ                                  માનદ મંત્રી                              પૂર્વ પ્રમુખ 

તા.  05-01-2016, ઇન્દોર 






No comments:

Post a Comment